
હિમાચલ
ઝાંખી
ઝાંખી
પિકઅપ સ્થળ: ચંડીગઢ (એરપોર્ટ / રેલવે સ્ટેશન)
ડ્રોપ સ્થળ: ચંડીગઢ (એરપોર્ટ / રેલવે સ્ટેશન)
પ્રવાસ સ્થળો: • ૦૨ રાત્રી શિમલા • ૦૩ રાત્રી મનાલી • ૦૧ રાત્રી ધર્મશાલા • ૦૨ રાત્રી ડેલહાઉસી • ૦૧ રાત્રી અમૃતસર
વાહન: ઇનોવા (અથવા સમાન શ્રેણીનું વાહન)
પ્રવાસની વિશેષતા:
હિમાચલ અને પંજાબના મનોહર સ્થળોની સુંદર સફર, જેમાં કુલ્લુ વેલી, મનાલીના મુખ્ય સ્થાનિક સ્થળો, સોલંગ વેલી, ડલહૌસી અને ખજ્જિયાર તેમજ અમૃતસરનું પવિત્ર સુવર્ણ મંદિર (ગોલ્ડન ટેમ્પલ) અને વાઘા બોર્ડર બીટિંગ રિટ્રીટ સમારોહનો સમાવેશ થાય છે. આ યાદગાર પ્રવાસનો અંત ચંડીગઢ ખાતે થશે.
દિવસ દીઠ
સમયપત્રક
પ્રવાસ સમયરેખા
10 દિવસો · શરૂઆત → અંત
દિવસ 1
દિવસ 1: ચંડીગઢ થી શિમલા (આશરે 120 કિમી | 4 થી 5 કલાક)
નાસ્તોરાત્રિ ભોજન- ચંડીગઢ એરપોર્ટ / રેલવે સ્ટેશન પરથી પિક-અપ
- પિંજોર અને સોલન માર્ગે શિમલા તરફ પ્રસ્થાન
- હોટેલમાં ચેક-ઇન
- મુલાકાત:
- ધ રિજ (The Ridge)
- મોલ રોડ
- ક્રાઇસ્ટ ચર્ચ
- લક્કડ બજાર
- સ્કેન્ડલ પોઇન્ટ
- શિમલામાં રાત્રિ રોકાણ
દિવસ 2
દિવસ 2: શિમલા અને કુફરી દર્શન
નાસ્તોરાત્રિ ભોજન- હોટેલમાં નાસ્તો
- મુલાકાત:
- કુફરી
- ગ્રીન વેલી
- હિમાલયન નેચર પાર્ક (વૈકલ્પિક)
- એડવેન્ચર પ્રવૃત્તિઓ (વૈકલ્પિક)
- જાખૂ મંદિર
- સાંજે મોલ રોડ પર ખરીદી અને ફરવાનો સમય
- શિમલામાં રાત્રિ રોકાણ
દિવસ 3
દિવસ 3: શિમલા થી મનાલી (આશરે 250 કિમી | 7 થી 8 કલાક)
નાસ્તોરાત્રિ ભોજન- નાસ્તા બાદ હોટેલમાંથી ચેક-આઉટ
- મનાલી તરફ પ્રસ્થાન
- માર્ગમાં:
- પંડોહ ડેમ
- સુંદરનગર તળાવ
- કુલ્લુ વેલી
- રિવર રાફ્ટિંગ પોઇન્ટ (વૈકલ્પિક)
- શૉલ ફેક્ટરી
- મનાલીમાં હોટેલમાં ચેક-ઇન
- મનાલીમાં રાત્રિ રોકાણ
દિવસ 4
દિવસ 4: સોલંગ વેલી પ્રવાસ
નાસ્તોરાત્રિ ભોજન- હોટેલમાં નાસ્તો
- મુલાકાત:
- સોલંગ વેલી
- રોપવે (વૈકલ્પિક)
- ATV રાઇડ (વૈકલ્પિક)
- ઝિપલાઇન (વૈકલ્પિક)
- બરફની પ્રવૃત્તિઓ (મોસમ અનુસાર)
- મનાલીમાં રાત્રિ રોકાણ
નોંધ: અટલ ટનલ / રોહિતાંગ પાસની મુલાકાત હવામાનની સ્થિતિ અને વાહન માટેની પરમિટ પર આધારિત રહેશે. જો પરમિટ ઉપલબ્ધ હોય અને મહેમાનો મુલાકાત લેવા ઇચ્છે, તો તેનો વધારાનો ખર્ચ મહેમાનોએ અલગથી ચૂકવવાનો રહેશે (આશરે ₹1,000 પ્રતિ વ્યક્તિ).
દિવસ 5
દિવસ 5: મનાલી સ્થાનિક દર્શન
નાસ્તોરાત્રિ ભોજન- હોટેલમાં નાસ્તો
- મુલાકાત:
- હિડિમ્બા દેવી મંદિર
- ક્લબ હાઉસ
- વશિષ્ઠ મંદિર અને ગરમ પાણીના કુંડ
- તિબેટીયન મઠ
- વન વિહાર
- મોલ રોડ
- મનાલીમાં રાત્રિ રોકાણ
દિવસ 6
દિવસ 6: મનાલી થી ધર્મશાલા (આશરે 240 કિમી | 7 થી 8 કલાક)
નાસ્તોરાત્રિ ભોજન- નાસ્તા બાદ હોટેલમાંથી ચેક-આઉટ
- ધર્મશાલા તરફ પ્રસ્થાન
- હોટેલમાં ચેક-ઇન
- સાંજે મુલાકાત:
- મેકલોડગંજ માર્કેટ
- ભગસુ માર્કેટ
- ધર્મશાલામાં રાત્રિ રોકાણ
દિવસ 7
દિવસ 7: ધર્મશાલા થી ડેલહાઉસી (આશરે 120 કિમી | 4 થી 5 કલાક)
નાસ્તોરાત્રિ ભોજન- નાસ્તા બાદ હોટેલમાંથી ચેક-આઉટ
- મુલાકાત:
- દલાઈ લામા મંદિર
- ભગસુનાગ ઝરણું
- સેન્ટ જ્હોન ઇન ધ વાઇલ્ડરનેસ ચર્ચ
- ડલહૌસી તરફ પ્રસ્થાન
- હોટેલમાં ચેક-ઇન
- સાંજે ગાંધી ચોક ખાતે ફરવાનો સમય
- ડેલહાઉસી માં રાત્રિ રોકાણ
દિવસ 8
દિવસ 8: ખજ્જિયાર પ્રવાસ
નાસ્તોરાત્રિ ભોજન- હોટેલમાં નાસ્તો
- મુલાકાત:
- ખજ્જિયાર (ભારતનું મીની સ્વિટ્ઝર્લેન્ડ)
- ખજ્જી નાગ મંદિર
- એડવેન્ચર પ્રવૃત્તિઓ (વૈકલ્પિક)
- ડલહૌસી પરત ફરવું
- મુલાકાત:
- સુભાષ ચોક
- પંચપુલા
નોંધ: ભારે હિમવર્ષા દરમિયાન ખજ્જિયાર જતો નિયમિત માર્ગ બંધ થઈ શકે છે. આવી સ્થિતિમાં લાંબા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી શકે છે, જેના માટે અંદાજે ₹800 થી ₹1,000 પ્રતિ વ્યક્તિ વધારાનો ખર્ચ થઈ શકે છે. ત્યારબાદ ડલહૌસીની હોટેલમાં રાત્રિ રોકાણ રહેશે.
- ડેલહાઉસીમાં રાત્રિ રોકાણ
દિવસ 9
દિવસ 9: ડેલહાઉસીથી અમૃતસર (આશરે 200 કિમી | 4 થી 5 કલાક)
નાસ્તોરાત્રિ ભોજન- નાસ્તા બાદ હોટેલમાંથી ચેક-આઉટ
- અમૃતસર તરફ પ્રસ્થાન
- મુલાકાત:
- સુવર્ણ મંદિર (ગોલ્ડન ટેમ્પલ)
- જલિયાંવાલા બાગ
- વાઘા બોર્ડર બીટિંગ રિટ્રીટ સમારોહ
- હોટેલમાં ચેક-ઇન
- અમૃતસરમાં રાત્રિ રોકાણ
દિવસ 10
દિવસ 10: અમૃતસર થી ચંડીગઢ (આશરે 230 કિમી | 4 થી 5 કલાક)
નાસ્તો- નાસ્તા બાદ હોટેલમાંથી ચેક-આઉટ
- સમય મળે તો મુલાકાત:
- દુર્ગિયાના મંદિર
- હોલ બજાર
- ચંડીગઢ તરફ પ્રસ્થાન
- ચંડીગઢ એરપોર્ટ / રેલવે સ્ટેશન પર ડ્રોપ
- સુવર્ણ યાદો સાથે પ્રવાસ પૂર્ણ થાય છે. ❤️
પ્રવાસ દાયરો
સામેલ અને બાકાત
✅ પેકેજમાં સમાવેશ
- 🏨 શિમલામાં 2 રાત હોટેલ રોકાણ
- 🏨 મનાલીમાં 3 રાત હોટેલ રોકાણ
- 🏨 ધર્મશાલામાં 1 રાત હોટેલ રોકાણ
- 🏨 ડલહૌસીમાં 2 રાત હોટેલ રોકાણ
- 🏨 અમૃતસરમાં 1 રાત હોટેલ રોકાણ
- 🍽️ દરરોજ સવારનો નાસ્તો અને રાત્રિભોજન
- 🚗 સમગ્ર પ્રવાસ માટે પ્રાઇવેટ કેબ
- ✈️ ચંડીગઢ પિક-અપ અને ડ્રોપ
- 🏞️ કાર્યક્રમ મુજબ તમામ દર્શન
❌ પેકેજમાં સમાવેશ નથી
- રોહિતાંગ પાસ પરમિટ અને વાહન ચાર્જ
- પ્રવેશ ટિકિટો અને સ્મારક ફી
- એડવેન્ચર પ્રવૃત્તિઓના ખર્ચ
- વ્યક્તિગત ખર્ચ
- બપોરનું ભોજન
- સમાવેશમાં ઉલ્લેખિત ન હોય તેવી અન્ય કોઈપણ સેવા
નીતિ
શરતો અને નિયમો
ચુકવણી નીતિ (Payment Policy)
• બુકિંગ કન્ફર્મ કરવા માટે કુલ રકમના 50% એડવાન્સ ચૂકવવા ફરજિયાત છે.
• બાકીની રકમ પ્રસ્થાનના ઓછામાં ઓછા 7 દિવસ પહેલાં ચૂકવવી જરૂરી છે.
• પ્રસ્થાનના 7 દિવસની અંદર કરવામાં આવેલ બુકિંગ માટે 100% એડવાન્સ ચુકવણી ફરજિયાત રહેશે.
• ચુકવણીની ચકાસણી થયા બાદ જ બુકિંગ કન્ફર્મ ગણાશે.
• રદ કરવું (Cancellation) અને રિફંડ કંપનીની Cancellation Policy મુજબ કરવામાં આવશે.
• બુકિંગ એડવાન્સ રકમ કોઈપણ સંજોગોમાં પરત આપવામાં આવશે નહીં.